એશિયા કપ 2023માં કોમેન્ટ્રી કરી રહેલા ગૌતમ ગંભીરે ઓન એરમાં આવી વાત કહી, જેના પછી ફેન્સ તેને હિપોક્રેટ્સ કહી રહ્યા છે. એશિયા કપ 2023 દરમિયાન, જ્યારે એશિયા કપ 2010ની ભારત અને પાકિસ્તાન મેચનું સ્કોરકાર્ડ ટીવી પર બતાવવામાં આવ્યું હતું, ત્યારે ગંભીરે તે મેચને યાદ કરીને હરભજન સિંહને જીતનો હીરો ગણાવ્યો હતો.
ગંભીરે કહ્યું, ‘મે જીત ન આપવી, હરભજન સિંહના કારણે ભારત તે મેચ જીતી હતી. મારી અને ધોની વચ્ચે ચોક્કસપણે ભાગીદારી હતી, પરંતુ હું માનું છું કે જે લોકો છેલ્લા રન બનાવે છે, તેઓ જ મેચ જીતે છે. ગંભીર જે મેચની વાત કરી રહ્યો હતો તે દામ્બુલામાં રમાઈ હતી. પાકિસ્તાનની ટીમ 267 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 49.5 ઓવરમાં સાત વિકેટે 271 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મોહમ્મદ અમીરના બોલ પર સિક્સ ફટકારીને ભારતે જીત મેળવી હતી.
તે મેચમાં ગંભીરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ગંભીરે 83 જ્યારે ધોનીએ 56 રન બનાવ્યા હતા. હરભજન સિંહે 11 બોલમાં અણનમ 15 રન બનાવ્યા જેમાં બે સિક્સરનો સમાવેશ થાય છે. તે મેચમાં હરભજન અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જ્યારે ગંભીરે કહ્યું કે છેલ્લો રન બનાવનાર જ મેચ વિનરનો લાયક છે.