ભારતમાં રમાઈ રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 વચ્ચે ન્યૂઝીલેન્ડ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર ટીમના કેપ્ટન કેન વિલિયમસન સાથે જોડાયેલા છે. આવતીકાલે એટલે કે શુક્રવાર 13 ઓક્ટોબરે તેમની વાપસી થવાની છે.
તે બાંગ્લાદેશ સામેની મેચમાં ન્યુઝીલેન્ડ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. વર્લ્ડ કપ 2019માં તે એકમાત્ર કેપ્ટન હતો, જે આ વર્ષે પણ કેપ્ટનશિપ કરવા જઈ રહ્યો છે. બાકીના 9 સુકાનીઓએ કાં તો કેપ્ટનસી છોડી દીધી છે અથવા તો નિવૃત્તિ લઈ લીધી છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, કેન વિલિયમસને પોતે પુષ્ટિ કરી છે કે તે શુક્રવારે બાંગ્લાદેશ સામે રમતા જોવા મળશે. વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ ટીમની આ ત્રીજી મેચ હશે. ટીમ હાલમાં પ્રથમ બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નંબર વન સ્થાન પર બેઠી છે. ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. કેન વિલિયમ્સન ટીમ માટે વર્લ્ડ કપની પ્રથમ બે મેચમાં રમી શક્યો નથી.
નોંધનીય છે કે IPL 2023ની શરૂઆતની મેચમાં કેન વિલિયમસન ઈજાગ્રસ્ત થયો હતો. તેને ACL ઈજા હતી, જેના માટે તેણે સર્જરી કરાવી હતી અને લગભગ એક મહિનાથી પ્રેક્ટિસ કરી રહી હતી. તેણે વર્લ્ડ કપ 2023ની બંને પ્રેક્ટિસ મેચમાં પણ બેટિંગ કરી હતી. જો કે, તે ફિલ્ડિંગ માટે ઉપલબ્ધ નહોતો, પરંતુ હવે સારી વાત એ છે કે તે વાપસી કરવા જઈ રહ્યો છે, તેથી તે કેપ્ટનશીપ કરશે, બેટિંગ કરશે અને ટીમ માટે ફિલ્ડિંગ પણ કરતો જોવા મળશે.
KANE WILLIAMSON IS BACK…..!!!!
He will be playing against Bangladesh tomorrow. pic.twitter.com/rMbvfGZyZZ
— Johns. (@CricCrazyJohns) October 12, 2023