ભારતીય ટીમે આ મહિને ઈંગ્લેન્ડનો પ્રવાસ ખતમ કર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ સાથે વનડે શ્રેણી રમવાની છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.
અનુભવી શિખર ધવનને વનડે શ્રેણી માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે રવિન્દ્ર જાડેજા ઉપ-કેપ્ટન રહેશે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સહિત ઘણા સિનિયર ખેલાડીઓને પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી.
ભારતીય ટીમના પસંદગીકારોએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી વનડે શ્રેણી માટે ટીમની પસંદગી કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા વરિષ્ઠ ખેલાડીઓને આ પ્રવાસ માટે આરામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કપ્તાની ધવન કરશે. શુભમન ગિલની વનડે ટીમમાં વાપસી થઈ છે. ટી20માં જોરદાર રમત દેખાડનાર દીપક હુડ્ડા આ ટીમનો ભાગ છે. આ સાથે જ ઈશાન કિશન અને સંજુ સેમસનને પણ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે.
શિખર ધવન (કેપ્ટન) રુતુરાજ ગાયકવાડ, શુમગિલ ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, સંજુ સેમસન, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રશાંત ક્રિષ્ના, મોહમ્મદ અરવિંદ સિંઘ, આર.
આ શ્રેણીની ત્રણેય મેચોની યજમાનીની જવાબદારી પોર્ટ ઓફ સ્પેનને આપવામાં આવી છે. ત્રણેય મેચો એક જ સ્થળે રમાશે. પ્રથમ મેચ 24 જુલાઈએ રમાશે. બીજી ODI મેચ 24મીએ અને ત્યારપછી છેલ્લી ODI મેચ 27મી જુલાઈએ રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું સમયપત્રક
1લી ODI – 22મી જુલાઈ – પોર્ટ ઓફ સ્પેન
2જી ODI – 24 જુલાઈ – પોર્ટ ઓફ સ્પેન
ત્રીજી ODI – 27 જુલાઈ – પોર્ટ ઓફ સ્પેન
View this post on Instagram