ODIS

રમીઝ રાજા: હોસ્ટિંગના અધિકાર છીનશે, તો અમે ભારત નહીં આવીએ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ શુક્રવારે ફરી એકવાર એશિયા કપ 2023ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે જો ટૂર્નામેન્ટ માટે તેના હોસ્ટિંગ અધિકારો પાછા ખેંચવામાં આવે તો પાકિસ્તાન એશિયા કપ 2023માંથી ખસી જવા પર વિચાર કરી શકે છે.

કારણ કે ભારત ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જવા માટે તૈયાર નથી. અગાઉ, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ઓક્ટોબરમાં નિવેદન આપ્યું હતું કે ભારત આવતા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરી શકશે નહીં અને કહ્યું હતું કે ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળે રમાઈ શકે છે.

રમીઝ રાજાએ ઇએસપીએન ક્રિકઇન્ફોને રાવલપિંડીમાં પાકિસ્તાન-ઇંગ્લેન્ડ ટેસ્ટ દરમિયાન કહ્યું, “એવું નથી કે અમારી પાસે હોસ્ટિંગ અધિકારો નથી અને અમે તેને હોસ્ટ કરવા માટે વિનંતી કરી રહ્યા છીએ. જો એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવે છે, તો પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળનારી પ્રથમ ટીમ હશે.”

આ પહેલા નવેમ્બરમાં PCBના અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું હતું કે જો ભારતીય ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાન આવશે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવતા વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે નહીં જાય.

રમીઝ રાજાએ કહ્યું હતું કે, જો પાકિસ્તાન ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ નહીં લે તો કોણ જોશે? આ મામલે અમારું વલણ સ્પષ્ટ છે, જો ભારતીય ટીમ અહીં (પાકિસ્તાન) આવશે તો અમે વર્લ્ડકપ માટે જઈશું. જો તે નહીં આવે તો તે અમારા વિના વર્લ્ડ કપ રમી શકે છે. અમે આ અંગે આક્રમક વલણ અપનાવીશું. અમારી ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. મેં હંમેશા કહ્યું છે કે આપણે પાકિસ્તાન ક્રિકેટની અર્થવ્યવસ્થાને સુધારવાની જરૂર છે અને જો આપણે સારું કરીશું તો જ તે થઈ શકશે.

Exit mobile version