ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T-20 અને ODI સિરીઝ રમાવાની છે. રોહિત શર્માએ T-20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે, જે બાદ તેની જગ્યાએ સૂર્ય કુમાર યાદવને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
જો કે, રોહિત શર્મા 2 ઓગસ્ટથી રમાનારી શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. રોહિત શર્મા પાસે આ સિરીઝમાં ઈતિહાસ રચવાની તક હશે.
જો રોહિત શર્મા શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝમાં ત્રણ સિક્સર ફટકારવામાં સફળ રહે છે તો તે ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગનનો મોટો રેકોર્ડ તોડી શકે છે. રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવી શકે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માએ કેપ્ટન તરીકે 231 સિક્સર ફટકારી છે. ઈયોન મોર્ગન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સિક્સર મારવાના મામલે ટોપ પર છે. મોર્ગને 233 સિક્સર ફટકારી છે. રોહિત શ્રીલંકા સામેની શ્રેણીમાં ત્રણ છગ્ગા સાથે મોર્ગનને પાછળ છોડી દેશે.
એમએસ ધોનીએ કેપ્ટન તરીકે 211 સિક્સર ફટકારી છે જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે 171 સિક્સર છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે 170 સિક્સર અને વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 138 સિક્સર ફટકારી છે.
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20000 રન પૂરા કરવાથી 923 રન દૂર છે, ટીમ ઈન્ડિયા આ વર્ષે 9 ટેસ્ટ અને 3 વનડે મેચ રમશે. જો રોહિતનું બેટ કામ કરશે તો ‘હિટમેન’ આ વર્ષે 20 હજાર રનના આંકડાને સ્પર્શ કરશે.
ભારત-શ્રીલંકા વનડે શ્રેણીનું શેડ્યૂલ:
2 ઓગસ્ટ- 1લી ODI- 14:30 PM
4 ઓગસ્ટ – બીજી ODI – 14:30 PM
7મી ઓગસ્ટ- ત્રીજી ODI- સાંજે 14:30