ODI વર્લ્ડ કપ 2023 અંતર્ગત રોહિત શર્મા શાનદાર કેપ્ટનશીપ બતાવી રહ્યો છે. હિટમેન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને સતત પાંચ મેચમાં જીત અપાવી છે. આટલું જ નહીં ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી અને સેમીફાઈનલમાં પહોંચવાની મોટી દાવેદાર છે. રોહિત શર્મા અત્યાર સુધી રમાયેલી મેચોમાં કેપ્ટન અને બેટ્સમેન તરીકે હિટ રહ્યો છે.
ટૂર્નામેન્ટની વચ્ચે હિટમેન રોહિત શર્માએ જણાવ્યું છે કે તેની કેપ્ટન્સીનું સૌથી મોટું રહસ્ય શું છે. રોહિત શર્માએ કહ્યું કે, જ્યારે તમારે ટીમ અને ખેલાડીઓને મેનેજ કરવાનું હોય છે, ત્યારે સૌથી જરૂરી છે કે તમે પહેલા દરેક ખેલાડીને સમજો. રોહિત શર્મા જે પણ નિર્ણય લે છે. શર્માએ અત્યાર સુધી ફિલ્ડ સેટિંગમાં સફળતા મેળવી છે અને બોલિંગમાં ફેરફાર તદ્દન સચોટ સાબિત થયા છે.
આ સિવાય મેદાન પર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે તેની કેમેસ્ટ્રી પણ જોરદાર દેખાય છે. વર્લ્ડ કપ વચ્ચે સ્ટાર સ્પોર્ટ્સ પર બોલતા રોહિત શર્માએ કહ્યું, મને લાગે છે કે જ્યારે ખેલાડીઓને મેનેજ કરવાની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા તમે દરેક ખેલાડીને સમજો છો અને તેમની જરૂરિયાતો જાણો છો. તે ખેલાડીને શું ગમે છે? અને શું ન ગમે.
તમારે આ જાણવું જોઈએ, કારણ કે ટીમનો સપોર્ટ એક કે બે ખેલાડીઓનો નથી. અમે જાણીએ છીએ કે જ્યારે તમે આવી ટૂર્નામેન્ટ રમવા માટે આવો છો, ત્યારે દરેક વ્યક્તિએ તેમની ભૂમિકા સારી રીતે ભજવવાની હોય છે. કેપ્ટન રોહિત શર્માની નજર ટીમ ઈન્ડિયા માટે ટાઇટલ પર છે.