ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાને મહત્વની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે જો ભારતીય ટીમને આ વખતે આઈસીસીનો ખિતાબ જીતવો હશે તો એમએસ ધોનીના માર્ગ પર ચાલવું પડશે અને તો જ તે પોતાના ખિતાબનો દુકાળ ખતમ કરી શકશે.
છેલ્લી વખત ભારતીય ટીમે 2013માં ICC ટ્રોફી જીતી હતી અને ત્યારથી તેઓ એક પણ ટાઇટલ જીતી શક્યા નથી. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ અને ફાઈનલમાં સતત હારી રહી છે. હવે આ વર્ષે વર્લ્ડ કપ છે અને ટીમ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
બીજી તરફ, સંજય માંજરેકરનું માનવું છે કે જો કેપ્ટન રોહિત શર્મા એમએસ ધોનીની પદ્ધતિને અનુસરે તો જ તે સફળ થઈ શકે છે. Star Sports/ESPNcricinfo ના સિલેક્શન ડે લાઈવ પ્રોગ્રામ પર બોલતા, તેમણે કહ્યું, આઈસીસી ઈવેન્ટ્સની સેમીફાઈનલમાં જવું ભારત માટે કોઈ સમસ્યા નથી. ટીમ ઈન્ડિયાની સમસ્યા નોકઆઉટ મેચ રહી છે. હું માત્ર આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે ભારતમાં જે પ્રકારની પ્રતિભા છે, તેને સેમિ-ફાઇનલ અને ફાઇનલ્સમાં એમએસ ધોનીની જેમ રમવાની જરૂર છે. એમએસ ધોની નોકઆઉટ મેચને અન્ય મેચની જેમ જ ગણતો હતો. મોટી ટૂર્નામેન્ટમાં ભારત માટે આ મોટો પડકાર છે.