વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત મંગળવારે થઈ શકે છે. હાલમાં એશિયા કપ રમી રહેલી ભારતની વર્લ્ડ કપ ટીમમાં કયા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે તે અંગે ચર્ચા ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, BCCI વર્લ્ડ કપ માટે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને તક આપી શકે છે, જ્યારે સંજુ સેમસનને નજરઅંદાજ કરવામાં આવી શકે છે.
શનિવારે વરસાદને કારણે ભારત અને પાકિસ્તાનની મેચ રદ થયા બાદ એશિયા કપ 2023માં ટીમને અંતિમ સ્વરૂપ આપવા માટે એક બેઠક યોજવામાં આવી હતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, BCCIના હેડ સિલેક્ટર અજીત અગરકરે ICC ODI વર્લ્ડ કપની ટીમને અંતિમ રૂપ આપવા માટે 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની મેચ રદ્દ થયા બાદ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડને મળ્યા હતા
આ રિપોર્ટ અનુસાર, BCCI વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને વધુ તક આપી શકે છે. શુભમન ગિલ અને ઈશાન કિશનને ટીમમાં સામેલ કરી શકાય છે. સૂર્યકુમાર યાદવ અને શ્રેયાર ઐયરને મિડલ ઓર્ડરમાં સ્થાન મળી શકે છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. જ્યારે વિરાટ કોહલી નંબર 3 અથવા નંબર 4 પર રમી શકે છે.
India's World Cup squad will be announced tomorrow. (Star Sports). pic.twitter.com/QExTmunM0U
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 4, 2023
એવું માનવામાં આવે છે કે પસંદગીકારો બેટિંગ લાઇન-અપમાં ઊંડાણ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં તક મળી છે. બોલરોમાં ત્રણ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને ટીમમાં તક મળી છે. જ્યારે કુલદીપ યાદવના રૂપમાં સ્પિનરની પસંદગી કરવામાં આવી છે.
વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.

