ODIS

ન્યૂઝીલેન્ડ ODI શ્રેણી માટે કેએલ રાહુલની જગ્યા આ ખેલાડી રમશે, જુઓ ટીમ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.

ODI ટીમમાં ભરતનું સ્થાન:

કેએલ રાહુલ ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણીનો ભાગ નથી. તેની જગ્યાએ કેએસ ભરતને તક આપવામાં આવી છે, જે વિકેટકીપર તરીકે ટીમ સાથે રહેશે. કેએલ રાહુલ કદાચ તેના લગ્નના શેડ્યૂલમાં વ્યસ્ત હશે. આ સિવાય શાહબાઝ અહેમદને પણ ટીમમાં જગ્યા મળી છે. ટેસ્ટ સિરીઝને ધ્યાનમાં રાખીને અક્ષર પટેલને આરામ આપવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુર પણ પરત ફર્યો છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે કેએલ અને અક્ષર પરિવારના કેટલાક કામને કારણે ઉપલબ્ધ નથી.

ન્યુઝીલેન્ડ સામે ODI માટે ભારતની ટીમ:

રોહિત શર્મા (સી), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટ), હાર્દિક પંડ્યા (વીસી), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી , મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક.

Exit mobile version