તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે કેએલ રાહુલ ક્યારે ટીમ ઈન્ડિયામાં પરત ફરશે. રાહુલ પહેલા ઈજા અને પછી સર્જરીના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. કેએલ રાહુલે ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ રમી નથી અને તે પછી ટી20 અને વનડે શ્રેણીનો ભાગ નથી.
એટલું જ નહીં, તે આ મહિનાના અંતમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીનો પણ ભાગ નથી. કેએલ રાહુલ ફેબ્રુઆરી 2022 થી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી.
આ પછી તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022માં લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કર્યું અને તમામ મેચો પણ રમી. આ પછી રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી હતી.
View this post on Instagram