આ દિવસોમાં, પુસ્તકના એક પૃષ્ઠનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા જોઈ શકાય છે. હવે, બાળકો ભારતીય ટીમના કેપ્ટન અને સફળ પ્રતિભાશાળી બેટ્સમેન રોહિત શર્મા વિશે શાળાના પુસ્તકમાં વાંચી શકશે.
આ પેજમાં રોહિત શર્માને ભારતના સૌથી પ્રતિભાશાળી બેટ્સમેનોમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેમાં રોહિતનો ઓફ-સ્પિનર તરીકે ઉલ્લેખ કરીને તેના જીવન પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે, ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ નવેમ્બર 2013માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
આ સિવાય એવું કહેવામાં આવ્યું હતું કે 2015 વર્લ્ડ કપમાં એક સદી અને બે અડધી સદી ફટકારીને કુલ 330 રન બનાવનાર તે બીજો બેટ્સમેન છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમીફાઈનલમાં ભારત 15 નવેમ્બર 2023ના રોજ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે 19મી નવેમ્બરે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ રમાવાની છે, જેની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રોહિત શર્માએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 550 રન બનાવ્યા છે. આ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફેન્સ ફરી એકવાર કેપ્ટન પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ભારતીય ટીમ બે વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે.
A chapter on Rohit Sharma in a school book. pic.twitter.com/X3KDtniNKl
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 17, 2023