OFF-FIELD

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે સાનિયા મિર્ઝાએ કહ્યું, ‘તે મને કહ્યું હતું કે અમે સાથે મળીને રમીશું’

‘સુશાંતે મને વચન આપ્યું હતું કે અમે એક દિવસ સાથે મળીને ટેનિસ રમીશું. સુશાંત જ્યાં જાય ત્યાં લોકોને ખુશીઓ આપતો હોઈ છે’..

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના જીવન પરની ફિલ્મમાં માહીની ભૂમિકા નિભાવનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. ફિલ્મી દુનિયાના સ્ટાર થી લઈને સ્પોર્ટ્સના ખિલાડીયો ને ચોંકાવી દીધા છે. ત્યારે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી વિરાટ કોહલી આ સમાચાર પર વિશ્વાસ કરી શક્યા નહીં.

સુશાંતના મૃત્યુ પછી સાનિયા મિર્ઝા ખૂબ ભાવુક થઈ ગઈ હતી. તેણે ટ્વીટ દ્વારા કહ્યું, ‘સુશાંતે મને  વચન આપ્યું હતું કે અમે એક દિવસ સાથે મળીને ટેનિસ રમીશું. સુશાંત જ્યાં જાય ત્યાં લોકોને ખુશીઓ આપતો હોઈ છે. પણ અમને ખબર નહોતી કે તમે અંદરથી એટલા પરેશાન છો. આખી દુનિયા તમને યાદ કરશે. આ લખતી વખતે મારા હાથ કાફતા હતા. હું પ્રાથના કરું છું કે તમારા આત્માને શાંતિ મળે.

જોકે સુશાંતે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પરંતુ ધોની કર્યા પછી તે એક મોટો સુપરસ્ટાર બની ગયો. સુશાંતની આત્મહત્યા પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત વિશે સાંભળીને આશ્ચર્ય થયું. વિશ્વાસ નથી કરી શકતો, ભગવાન તેને, તેના પરિવાર અને મિત્રોને આશીર્વાદ આપે.

પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે પણ સુશાંતની સરહદ પારથી આપઘાત અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, ‘આ વાતથી આશ્ચર્યજનક છે કે એક યુવકે આ રીતે આત્મહત્યા કરી છે. સુશાંતે આ કેમ કર્યું તે કોઈને ખબર નથી. તેનો ચાહક હોવાથી હું ખૂબ જ દુખી છું.

Exit mobile version