ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે કહ્યું છે કે લિજેન્ડ્સ ક્રિકેટ ટ્રોફી (LCT) નિવૃત્ત ખેલાડીઓને સ્પર્ધાત્મક વાતાવરણમાં રમવાનું ચાલુ રાખવાની તક પૂરી પાડે છે. લીગમાંથી પોતાનો અનુભવ શેર કરતા, હરભજન સિંહે નિવૃત્ત ખેલાડીઓ માટે તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
હરભજનને કહ્યું, “છેલ્લા બે થી ત્રણ વર્ષોમાં, નિવૃત્ત ખેલાડીઓ સાથેની લીગ થવાનું શરૂ થયું છે. તે નિવૃત્ત ખેલાડીઓને સ્પર્ધાત્મક વાતાવરણમાં રમવાનું ચાલુ રાખવાની તક પૂરી પાડે છે.” આ ઉપરાંત આ ફોર્મેટની પ્રસંસા કરતાં કહ્યું, “LCT 90 ફોર્મેટ રમતમાં એક નવું પરિમાણ ઉમેરે છે, જે ખેલાડીઓને રમતના વિવિધ પાસાઓમાં તેમની પ્રતિભા દર્શાવવાની તક આપે છે. તે અન્ય ફોર્મેટ કરતા અલગ છે જેમાં ચાર પાવરપ્લે છે અને બેટ્સમેન માટે 10 થી 15 પાવરપ્લે વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ છે. ઉપરાંત, શ્રેષ્ઠ બોલર ચાર ઓવર ફેંકી શકે છે, જે તેને નિવૃત્ત ખેલાડીઓ માટે યોગ્ય બનાવે છે. જ્યારે પણ નવું ફોર્મેટ રજૂ કરવામાં આવે છે, ત્યારે તેને સમજવામાં થોડો સમય લાગે છે. જો કે, એક બેટ્સમેન તરીકે, મજબૂત બોલરો સામે પાવરપ્લેનો વિકલ્પ હોવો ફાયદાકારક છે.”
T10 ક્રિકેટની ઝડપી ગતિથી વિપરીત, LCT 90 બેટ અને બોલ વચ્ચેની અથડામણને પ્રોત્સાહન આપતા વ્યૂહાત્મક અભિગમને પ્રોત્સાહન આપે છે.