OTHER LEAGUES

રણજી ટ્રોફી: સેમિફાઇનલમાં શ્રેયસ અય્યરનું બેટ ન ચાલ્યું, 3 રને બોલ્ડ થયો

Pic - Hindustan Times

રણજી ટ્રોફીની વર્તમાન સિઝનની બીજી સેમિફાઇનલ મેચ મુંબઈ અને તમિલનાડુની ટીમ વચ્ચે રમાઈ રહી છે. BCCI પ્લેયર્સ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરાયેલો શ્રેયસ અય્યર પણ આ મેચમાં રમી રહ્યો છે, જેમાં તમામની નજર તેના પ્રદર્શન પર ટકેલી હતી, જોકે શ્રેયસ બીજા દિવસની રમતમાં બેટ વડે કંઈક ખાસ જાદુ બતાવવામાં સફળ રહ્યો ન હતો અને માત્ર 3 રન બનાવીને બોલ્ડ થયો હતો.

શ્રેયસને તાજેતરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા વર્ષ 2023-24 માટે વાર્ષિક ખેલાડીઓના કરારની સૂચિમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે શ્રેયસ માટે આ મેચમાં પ્રદર્શન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું, ત્યારબાદ હવે આ મેચમાં મુંબઈની ટીમની બીજી ઈનિંગમાં તે કેવું પ્રદર્શન કરે છે તેના પર તમામની નજર ટકેલી છે.

Exit mobile version