ટીમ ઈન્ડિયા માટે પાંચ ટેસ્ટ, છ વનડે અને એક ટી-20 ઈન્ટરનેશનલ રમનાર પૃથ્વી શો લાંબા સમયથી ટીમની બહાર છે. શૉ આ સમયગાળા દરમિયાન ઘરેલુ ક્રિકેટમાં ચમકી રહ્યો છે, પરંતુ તેમ છતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેને ટીમ ઈન્ડિયાની ટીમમાં લઈ રહ્યું નથી અને આ નિર્ણય દરેકને ચોંકાવનારો છે.
મુંબઈ અને આસામ વચ્ચે રણજી ટ્રોફીની મેચ આસામના અમીનગાંવ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે શૉએ 235 બોલમાં બેવડી સદી ફટકારી હતી. આ તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની બીજી બેવડી સદી છે. જણાવી દઈએ કે શોએ 98 બોલમાં 100 રન પૂરા કર્યા હતા.
શૉને ટીમ ઈન્ડિયામાં સ્થાન કેમ નથી મળી રહ્યું તેનો જવાબ કોઈની પાસે નથી, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં જે રીતે તેનું બેટ ચાલી રહ્યું છે, તેને ટીમ ઈન્ડિયામાં રમવાની તક ચોક્કસ મળવી જોઈએ. શૉએ 2018માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
શૉએ જુલાઈ 2021થી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. પાંચ ટેસ્ટની નવ ઇનિંગ્સમાં શોએ 42.38ની એવરેજ અને 86.04ની સ્ટ્રાઇક રેટથી 339 રન બનાવ્યા હતા. શૉના ખાતામાં એક સદી પણ નોંધાયેલી છે, જ્યારે તેણે બે અડધી સદી પણ ફટકારી છે.
Double hundred for Prithvi Shaw from just 235 balls in Ranji Trophy❤️😍#PrithviShaw#IshanKishan #ShubhmanGill #SuryaKumarYadav #RohitSharma𓃵 #INDvSL #SLvIND #INDvsSL #SLvsINDpic.twitter.com/FIv9KDtNVP
— Cric18👑 (@Criclav_18) January 10, 2023