OTHER LEAGUES

રુતુરાજને મળી મોટી જવાબદારી, વિજય હજારે ટ્રોફીમાં આ ટીમની કમાન સંભાળશે

ઓપનર રુતુરાજ ગાયકવાડ બુધવારથી શરૂ થઈ રહેલી વિજય હજારે ટ્રોફી રાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં 20 સભ્યોની મહારાષ્ટ્ર ટીમનું નેતૃત્વ કરશે.

રાજ્યની પસંદગી સમિતિએ રાહુલ ત્રિપાઠીને ટીમના ઉપ-કપ્તાન તરીકે નિયુક્ત કર્યા છે. મહારાષ્ટ્રની ટીમ ગ્રુપ ડીમાં છે, જેની મેચો રાજકોટમાં રમાશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઉત્તરાખંડ અને ચંદીગઢની ટીમો પણ આ ગ્રુપમાં છે. મહારાષ્ટ્ર તેની પ્રથમ મેચ બુધવારે મધ્યપ્રદેશ સામે રમશે.

ટીમઃ રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી (વાઈસ-કેપ્ટન), યશ નાહર, નૌશાદ શેખ, અઝીમ કાઝી, અંકિત બાવને, શમશુજામા કાઝી, મુકેશ ચૌધરી, પ્રદીપ દાધે, મનોજ ઈંગલે, આશા પાલકર, દિવ્યાંગ હિંગણેકર, જગદીશ જોપે ફુલપગર, અવધૂત દાંડેકર, તરનજીત સિંહ ધિલ્લોન, સિદ્ધેશ વીર, યશ ક્ષીરસાગર, પવન શાહ, ધનરાજ પરદેશી.

Exit mobile version