શ્રેયસ અય્યર ઈજાના કારણે આ ટી 20 લીગમાંથી બહાર થઈ ગયા છે…
10 જાન્યુઆરીથી શરૂ થનારી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે મુંબઈએ તેમની 20 સભ્યોની ટુકડીની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવને મુંબઈની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે અર્જુન તેંડુલકરને ટીમમાં સ્થાન મળ્યું નથી. શ્રેયસ અય્યર ઈજાને કારણે આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં, જ્યારે રોહિત, શર્મા, અજિંક્ય રહાણે પૃથ્વી શો રાષ્ટ્રીય ફરજ પર હોવાને કારણે આ ટી 20 લીગમાં રમતા જોવા મળશે નહીં.
આઈપીએલ 2020 માં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી રહ્યું હતું અને ઘણા દિગ્ગજ ખેલાડીઓએ તેની ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ ન થવા પર પણ સવાલો ઉઠાવ્યા હતો. ઘરેલું ક્રિકેટમાં પણ આ બેટ્સમેનનું પ્રદર્શન મુંબઈ માટે ઉત્તમ રહ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને તેને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.
શ્રેયસ અય્યર ઈજાના કારણે આ ટી 20 લીગમાંથી બહાર થઈ ગયા છે. ટીમમાં યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઈની ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, આદિત્ય તારે (ઉપ-કપ્તાન) સરફરાઝ ખાન, સિદ્ધેશ લાડ, શિવમ દુબે, શુભમ રંજાને, સુજીત નાયક, શશાંક અતાર્ડે, શમ્સ મુલાની, હાર્દિક તમોર, સુફિયાં શેખ, ડ્રુ ગોમલ, અથર્વ અંકોલેકર, તુષાર દેશપાંડે, સાયરાજ પાટિલ, ધવલ કુલકર્ણી, મીનાડ માંજરેકર, પ્રથમેશ ડાકે, આકાશ પારકર

