
કોરોનાના કારણે આ વખતે બીસીસીઆઈએ બે તબક્કામાં રણજી ટ્રોફીનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કો 10 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે, જે ભારતીય ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે.
ટેસ્ટ ટીમમાંથી બહાર થવાના આરે રહેલા અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને પણ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ ઘરેલુ ક્રિકેટમાં ફરીથી ફોર્મ મેળવવાની સલાહ આપી છે.
ભારતે શ્રીલંકા સામે ઘરઆંગણે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ શ્રેણીના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસ પર પહેલા ટેસ્ટ અને પછી ટી-20 મેચ રમવાની હતી પરંતુ હવે ટેસ્ટ મેચોની સિરીઝ બાદમાં રમાશે. આવી સ્થિતિમાં રહાણે અને પુજારા બંનેને ઘરેલુ ક્રિકેટમાં ફોર્મ મેળવવાની તક મળશે. મુંબઈની ટીમનો ભાગ રહેલા રહાણે અને સૌરાષ્ટ્ર તરફથી રમતા પૂજારા પર તમામની નજર રહેશે.
એલિટ ગ્રૂપની રણજી મેચો 16 ફેબ્રુઆરીથી શરૂ થશે અને બંને સિનિયર ખેલાડીઓને શ્રીલંકા શ્રેણી પહેલા ઓછામાં ઓછી બે મેચો મળશે. તેને આ બે મેચની ચાર ઇનિંગ્સમાં બેટિંગ કરવાની તક મળી શકે છે. સારી ઇનિંગ્સ રમીને પૂજારા અને રહાણે મોમેન્ટમ મેળવીને પસંદગીકારોને પ્રભાવિત કરી શકે છે.
મુંબઈ રણજી ટીમના કોચ અમોલ મજુમદારે પીટીઆઈને કહ્યું, “અજિંક્ય આ મેચો વિશે વિચારતો હોવો જોઈએ. તે મુંબઈની ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે અને અમે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી મીટિંગો કરી છે.
