T-20

T20 વર્લ્ડ કપમાંથી બહાર થતાં હાર્દિક પડ્યાએ બુમરાહ માટે લખ્યું કઈક આવું..

ભારતીય ક્રિકેટ ટીમને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે યોર્કરમેન જસપ્રિત બુમરાહ ઈજાના કારણે આવતા મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022માંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયો.

BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં કહ્યું કે બુમરાહને ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું ભારત માટે મોટો ફટકો છે. તે પુરુષોની T20I ક્રિકેટમાં ભારત માટે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બુમરાહના ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર એક સુંદર પોસ્ટ લખી છે.

પંડ્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું, “મારો જસ્સી (જસપ્રિત બુમરાહ) હંમેશાની જેમ મજબૂત વાપસી કરશે.”

બુમરાહ ભૂતકાળમાં પણ કમરના દુખાવાથી પરેશાન છે. 2019માં તેને આ જ કારણોસર ત્રણ મહિના બહાર રહેવું પડ્યું હતું પરંતુ આ વખતે તેને ચારથી છ મહિના બહાર રહેવું પડી શકે છે. બુમરાહે આ વર્ષે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સમાન પાંચ મેચ રમી હતી જ્યારે તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 14 મેચ રમી હતી.

BCCI ટૂંક સમયમાં T20 વર્લ્ડ કપ માટે બુમરાહના સ્થાનની જાહેરાત કરશે. બુમરાહ ટી20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થનારો ભારતનો બીજો ખેલાડી છે. તેના પહેલા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યો છે.

Exit mobile version