
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં પાકિસ્તાન-સાઉદી ઈન્વેસ્ટમેન્ટ ફોરમમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતની મજાક ઉડાવી હતી. કહ્યું કે અમે હવે અમે ભારતને હરાવ્યું છે તેથી હવે અમે ભારત સાથે વાત કરી શકતા નથી. જોકે, પાકિસ્તાનને ભારત સાથેના સંબંધો સુધારવાની જરૂર છે.
બાબર આઝમની કપ્તાની હેઠળ રવિવારે T20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાને બે દાયકાથી વધુના ઈતિહાસને બદલીને પ્રથમ વખત ભારતને હરાવ્યું હતું. પાકિસ્તાન વર્લ્ડ કપની કોઈપણ મેચમાં ભારતને હરાવી શક્યું નથી. પરંતુ રવિવારે પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવીને તેની પ્રથમ જીત નોંધાવી હતી. પાકિસ્તાનની આ સિદ્ધિ સાથે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જીતનો રેશિયો 11-1 થઈ ગયો છે.
સોમવારે પાકિસ્તાનના ઈમરાન ખાને ભારતીય ક્રિકેટ ચાહકોની મજાક ઉડાવતા એક શરમજનક નિવેદન આપ્યું હતું. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં પાકિસ્તાન-સાઉદી ઈન્વેસ્ટમેન્ટ ફોરમને સંબોધતા ઈમરાન ખાને કહ્યું કે, અમારા ચીન સાથે સારા સંબંધો છે.
પાકિસ્તાને ભારત સાથેના સંબંધો સુધારવાની જરૂર છે પરંતુ ગઈકાલે જ પાકિસ્તાને ભારતને હરાવ્યું છે. તેથી હવે ભારત સાથે વાત કરવાનો યોગ્ય સમય નથી. ઈમરાન ખાને પોતે પાકિસ્તાનની ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમની કપ્તાની હેઠળ પાકિસ્તાને 1992માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.
ઈમરાન ખાને વધુમાં કહ્યું કે બંને દેશો વચ્ચે એક જ મુદ્દો છે અને તે છે કાશ્મીર. તેથી બંને દેશોએ સંસ્કારી અને સારા પડોશીઓની જેમ આ મુદ્દાને ઉકેલવો જોઈએ.
