ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં 4 રને હારનો સામનો કર્યા પછી, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની યુવા ભારતીય ટીમ પ્રોવિડન્સ ખાતે રમાનારી બીજી T20 મેચમાં રમશે. જ્યોર્જટાઉન, ગયાનામાં રવિવારે સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમ બદલો લેવાના ઈરાદા સાથે ઉતરશે.
બીજી તરફ, શનિવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચ પહેલા ગયાનામાં ભારતીય હાઈ કમિશનર ડૉ. કે.જે. શ્રીનિવાસના ઘરે ડિનર લીધું. આ દરમિયાન ભારતીય હાઈ કમિશનર દ્વારા ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ભારતીય ક્રિકેટરો બીજી મેચ પહેલા હાઈ કમિશનર ડો.કે.જે.શ્રીનિવાસને મળ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇવેન્ટની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીર શેર કરતાં BCCIએ લખ્યું- ‘ભારતના હાઈ કમિશનર ડૉ. કે.જે. શ્રીનિવાસે 2જી T20 મેચ પહેલા ગયાનામાં ભારતીય હાઈ કમિશનમાં #TeamIndia નું આયોજન કર્યું હતું.
📸 Dr K. J. Srinivasa – High Commissioner of India – hosted #TeamIndia at the Indian High Commission in Guyana ahead of the second T20I. #WIvIND pic.twitter.com/iDFrrNJg4w
— BCCI (@BCCI) August 5, 2023
ભારતીય ક્રિકેટ ટીમ પાસે શ્રેણીમાં ફેરફારો કરવા માટે પુષ્કળ સમય છે કારણ કે હાર્દિક અને કંપની 2024 માં આગામી T20 વર્લ્ડ કપની તૈયારી કરવા માટે કેરેબિયનમાં તેમના સમયનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે.