ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે…..
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટી -20 શ્રેણી 2-2થી બરાબર છે. શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ 20 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ચોથી ટી -20 મેચમાં ભારતે રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને 8 રને પરાજય આપ્યો હતો. શાર્દુલ ઠાકુરે આ જીતમાં મોટો ફાળો આપ્યો હતો. છેલ્લી ઓવરમાં શાર્દુલ બેન સ્ટોક્સ અને ઇઓન મોર્ગનને આઉટ કરીને સતત બે બોલમાં મેચને ભારતની તરફેણમાં લાવ્યો. આ દરમિયાન ડેથ ઓવર્સમાં શાર્દુલની બોલિંગથી પૂર્વ ક્રિકેટર અજય જાડેજા પણ ભારે પ્રભાવિત રહ્યો છે. તેમણે કહ્યું કે શાર્દુલની શાનદાર બોલિંગને કારણે ભારતે ટી 20 સિરીઝમાં જસપ્રિત બુમરાહને ચૂક્યો નથી.
‘ક્રિકબઝ’ સાથે વાત કરતાં અજય જાડેજાએ શાર્દુલ ઠાકુરની પ્રશંસા કરતા કહ્યું કે તે ડેથ ઓવરમાં સતત શાનદાર બોલિંગ કરી રહ્યો છે અને તેના કારણે ભારત આ ટી -20 શ્રેણીમાં જસપ્રિત બુમરાહને ગુમાવી રહ્યો નથી. અજયે કહ્યું હતું કે, શાર્દુલને ચોથી ટી -20 મેચમાં મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવવો જોઇએ કારણ કે શાર્દુલ જ તેણે છેલ્લી ઓવરમાં મેચ ફેરવી દીધી હતી.
શાર્દુલને ટી -20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શનના કારણે ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. વન ડે મેચ માટે પણ જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. બુમરાહે હાલમાં જ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે, જેની માહિતી તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

