
ICC ટી-20 વર્લ્ડ કપ 2021ની સુપર 12 મેચો બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી બાંગ્લાદેશની ટીમ અને સેમી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારેલી પાકિસ્તાનની ટીમ વચ્ચે ટી-20 અને ટેસ્ટ શ્રેણી રમવાની છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ત્રણ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી છે. સુપ્રસિદ્ધ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન આ 16 સભ્યોની ટીમનો ભાગ નથી કારણ કે તેને ટી-20 વર્લ્ડ કપ 2021 દરમિયાન ઈજા થઈ હતી. શાકિબ ઉપરાંત શૈફુદ્દીન પણ ઈજાના કારણે આ ટીમનો ભાગ નથી.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે લિટન દાસ, સૌમ્ય સરકાર અને રૂબેલ હુસૈનને આ ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ટીમમાંથી બહાર કર્યા છે, જ્યારે મુશ્ફિકુર રહીમને ટી20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. આ સિવાય બાંગ્લાદેશની ટી20 ટીમમાં બેટ્સમેન નજમુલ હુસેન શાંતો અને લેગ સ્પિનર અમીનુલ ઈસ્લામની વાપસી થઈ છે.
બાંગ્લાદેશની ટીમ:
મહમુદુલ્લાહ (કેપ્ટન), નઈમ શેખ, નજમુલ હુસૈન શાંતો, અફીફ હુસૈન, નુરુલ હસન સોહન, મેહદી હસન, અમીનુલ ઈસ્લામ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ, તસ્કીન અહેમદ, શમીમ હુસૈન, નસુમ અહેમદ, સૈફ હસન, યાસિર અલી ચૌધરી, શોહિદુલ ઈસ્લામ અને અકબર અલી.
