આ વખતે ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2022માં શાનદાર શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાને પહેલા જ વોર્મ-અપ મેચમાં હરાવ્યું છે.
પરંતુ વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પહેલા સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. જોકે ટીમ સારા સારા બોલરો હજી છે, તો ભારતીય ટીમને એટલું ચિતા કરવાની જરૂર નથી.
સચિને અર્શદીપના વખાણ કર્યા:
યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ વર્લ્ડ કપ મિશન પર ગયેલી ભારતીય ટીમમાં છે. સચિન પણ તેમનાથી ઘણો પ્રભાવિત થયો છે. સચિને અર્શદીપ માટે કહ્યું, ‘અર્શદીપે ઘણી અપેક્ષાઓ ઉભી કરી છે અને તે એક સંતુલિત બોલર છે. મેં તેમનામાં એક ખાસ વસ્તુ નોંધી છે તે છે તેમની પ્રતિબદ્ધતા. જ્યારે તમે કોઈ ખેલાડીને જુઓ છો, ત્યારે તમે તેની માનસિકતા જુઓ છો.
સચિને કહ્યું, ‘મને ગમ્યું કે અર્શદીપની તેની યોજના છે અને તે તેના માટે પ્રતિબદ્ધ છે. આ T20 ફોર્મેટમાં, તમારી પાસે યોજના હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે બેટ્સમેન કેટલાક નવા અને છૂટક શોટ રમે છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે કોઈ યોજના છે, તો તે વધુ સારું છે કે તમે તેને સારી રીતે લાગુ કરો.