હાલમાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે સેમીફાઇનલમાં પ્રવેશ કરી દીધી છે. 27 જૂન ભારત, ઇંગ્લેન્ડ સામે તેની સેમીફાઇનલ મેચ રમશે.
આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના મહાન ક્રિકેટર સર કર્ટલી એમ્બ્રોસે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેનને વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેણે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી કે સૂર્યકુમાર યાદવનું નામ લીધું નથી.
T20 વર્લ્ડ કપ 2024 નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, મેગા ઈવેન્ટની વર્તમાન આવૃત્તિમાં સેમિફાઈનલ માટે ચારેય ટીમો નક્કી કરવામાં આવી છે. ભારત અને અફઘાનિસ્તાન ગ્રુપ-1માંથી જ્યારે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા ગ્રુપ-2માંથી ક્વોલિફાય થયા છે.
દરમિયાન, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના મહાન ઝડપી બોલર સર કર્ટલી એમ્બ્રોસે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને વર્તમાન સમયનો સૌથી ખતરનાક બેટ્સમેન ગણાવ્યો હતો.
આ સાથે જ તેણે ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, વિવિયન રિચર્ડ્સ, રિકી પોન્ટિંગ અને વિરાટ કોહલી વિશે કહ્યું કે આ બેટ્સમેન કોઈપણ સમયનો મહાન બેટ્સમેન છે. સર કર્ટલી એમ્બ્રોસે પોતાના ઈન્ટરવ્યુમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના વખાણ કર્યા છે. તેણે બુમરાહ વિશે કહ્યું કે તે આ સમયનો સર્વશ્રેષ્ઠ બોલર છે.