T20 વર્લ્ડ કપ 2022માં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને ટીમ ઈન્ડિયા સહિત વિશ્વના તમામ દેશોએ આ મેગા ઈવેન્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ સમયે ટીમ ઈન્ડિયાની સામે એક મોટી મુશ્કેલી એ છે કે પ્લેઈંગ ઈલેવનમાં દિનેશ કાર્તિક કે રિષભ પંત, કોને તક આપવી જોઈએ.
બંને T20 વર્લ્ડ કપની ટીમનો ભાગ છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચમાં પંત બેન્ચ પર બેઠો હતો જ્યારે દિનેશ કાર્તિક પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. જો કે બંને વચ્ચે કોની પસંદગી કરવી જોઈએ તે અંગેની ચર્ચામાં ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને વિકેટ કીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટનો અભિપ્રાય ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ICC પર ગિલક્રિસ્ટે કહ્યું, ‘ઋષભ પંતમાં જે હિંમત અને તાકાત છે અને જે રીતે તે વિરોધી બોલરો પર વરસાદ વરસાવે છે, મને લાગે છે કે તેને કોઈપણ કિંમતે ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનમાં હોવો જોઈએ. દિનેશ કાર્તિક અને ઋષભ પંત સાથે રમી શકે છે, પરંતુ મને લાગે છે કે પંતનો સમાવેશ કરવો એકદમ જરૂરી છે.
જ્યારે ગિલક્રિસ્ટને પૂછવામાં આવ્યું કે શું ટીમ ઈન્ડિયાએ આ બંનેને એકસાથે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાનું જોખમ લેવું જોઈએ, તો તેણે જવાબ આપ્યો, ‘બંને એકસાથે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. મને લાગે છે કે આ કરી શકાય છે. દિનેશ કાર્તિકની વર્સેટિલિટીને જોતા તેને બેટિંગ ક્રમમાં ઉપર મોકલી શકાય છે. T20 વર્લ્ડ કપ 2022માં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને ટીમ ઈન્ડિયા સહિત વિશ્વના તમામ દેશોએ આ મેગા ઈવેન્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે.