
ટીમ ઈન્ડિયા કેટલીક બાબતો પર ધ્યાન આપે તો પરિવર્તન શક્ય છે….
પાંચ મેચની ટી -20 શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારત વિરુદ્ધ 8 વિકેટે વિજય મેળવ્યો હતો. હવે ટી 20 સીરીઝની બીજી મેચ આજે એટલે કે રવિવારે યોજાનાર છે. ભારતીય ટીમના એક પછી એક બેટ્સમેને પણ પ્રથમ મેચ દરમિયાન કંઇક ખાસ પ્રદર્શન કર્યું ન હતું. આવી સ્થિતિમાં ટીમમાં બદલાવ લાવવાની જરૂર છે, પરંતુ હાર બાદ પણ ટીમ વધારે પરિવર્તન લાવી શકશે નહીં. અત્યારે જો ટીમ ઈન્ડિયા કેટલીક બાબતો પર ધ્યાન આપે તો પરિવર્તન શક્ય છે.
ટીમ ઈન્ડિયા કેટલાક ફેરફાર કરી શકે છે:
કેએલ રાહુલ લાંબા સમયથી ભારતીય ટીમ સાથે સંકળાયેલા છે, પરંતુ તેને મેચ રમવાનો મોકો મળ્યો ન હતો. તેણે 2021 માં પાંચ મેચની ટી -20 સિરીઝ દરમિયાન પ્રથમ મેચ રમી હતી, જે તેણે પણ સારું પ્રદર્શન કર્યું ન હતું. કેએલ રાહુલ ઉપરાંત ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને શિખર ધવન જેવા ખેલાડીઓ પણ કંઈ ખાસ બેટિંગ કરી શક્યા નહીં. સ્પિન બોલરોની વાત કરીએ તો ત્રણ સ્પિન બોલરોને ટીમમાં રમવા માટેની તક આપવામાં આવી હતી, જેમાં વોશિંગ્ટન સુંદર અને યજુવેન્દ્ર ચહલ જેવા ઝડપી બોલરો મેદાનમાં આવ્યા હતા.
વોશિંગ્ટન સુંદરની જગ્યાએ બોલર નવદીપ સૈનીને પણ તક આપવામાં આવી શકે છે. ફાસ્ટ બોલર યજુવેન્દ્ર ચહલ ટી 20 નિષ્ણાત છે. અક્ષર પટેલ વિશે વાત કરીએ તો અક્ષર પટેલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ટીમ:
રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, વિરાટ કોહલી (કેપ્ટન), રીષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ
