T-20

ઓસ્ટ્રેલિયા સામે T-20 સિરીઝ હાર પર હરમનપ્રીતે કહ્યું, અહિયાં થઈ હતી ભૂલ

ભારતીય મહિલા ટીમને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે રમાયેલી ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને સાત રનથી હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

તે જ સમયે, આ હાર પછી, ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર નિરાશ જોવા મળી હતી. તેણે કહ્યું કે જો ટીમે વધુ એક ઓવરમાં મોટો સ્કોર બનાવ્યો હોત તો મેચનું પરિણામ અલગ જ હોત.

ભારતીય કેપ્ટને કહ્યું કે અમે આખી મેચ જીતવાની રેસમાં હતા, આ મેચમાં માત્ર એક ઓવર જ ફરક કરી શકી હતી. 30 બોલમાં 46 રનની આક્રમક ઈનિંગ રમનાર હરમનપ્રીતે કહ્યું કે જો હું અંત સુધી ક્રિઝ પર હોત તો પરિસ્થિતિ બદલાઈ શકી હોત પરંતુ કમનસીબે હું આઉટ થઈ ગઈ હતી. જોકે મને રિચા અને દીપ્તિમાં વિશ્વાસ હતો.

ભારતીય ટીમને જીતવા માટે છેલ્લી ત્રણ ઓવરમાં 41 રનની જરૂર હતી પરંતુ 18મી ઓવરમાં માત્ર ત્રણ રન જ બન્યા હતા. તેને ટીમ માટે હાનિકારક ગણાવતા તેણે કહ્યું કે જ્યારે અમને 18મી ઓવરમાં માત્ર ત્રણ રન મળ્યા તો તેનાથી ઘણો ફરક પડ્યો.

જ્યારે હરમનપ્રીતે પોતાને બોલિંગ ન કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, હું એશિયા કપમાં ઈજામાંથી વાપસી કરી રહી છું. અત્યારે માત્ર બેટિંગ કરવા માંગુ છું, હું ચોક્કસપણે બોલિંગ કરીશ.

ઓસ્ટ્રેલિયાના સ્ટેન્ડ-ઇન કેપ્ટન તાહલિયા મેકગ્રાએ કહ્યું, “મને છેલ્લી ઘડીએ આ જવાબદારી (કેપ્ટન્સીની ભૂમિકા) આપવામાં આવી હતી પરંતુ ટીમ માટે ગર્વની વાત છે કે અમે એક મેચ બાકી રહેતાં શ્રેણી જીતી લીધી છે.”

Exit mobile version