ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ 3 જાન્યુઆરી 2023 એટલે કે મંગળવારના રોજ રમાશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રીલંકા સામેની શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.
આ પહેલીવાર હશે જ્યારે ભારતીય ટીમ પ્રથમ વખત ત્રણ મોટા ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. ટીમમાં ઓપનિંગ કોમ્બિનેશન પણ આ વખતે બદલાયેલું જોવા મળશે અને ટીમનું બોલિંગ આક્રમણ પણ તાજું હશે.
શ્રીલંકા સામેની ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા મોટા ખેલાડીઓ સામેલ નથી. આ કારણે ટીમના બેટિંગ ક્રમમાં પણ ફેરફાર જોવા મળશે. સાથે જ બોલિંગ આક્રમણ પણ અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને હર્ષલ પટેલના હાથમાં રહેશે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. આ જ ટીમમાં સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીમાં ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગની જવાબદારી નિભાવશે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી નથી અને તેની જગ્યાએ ત્રીજા નંબર પર સૂર્યકુમાર યાદવ આવશે.
આ ભારતની પ્લેઈંગ ઈલેવન હોઈ શકે છે – ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ.