T-20

ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, પૃથ્વી શૉની વાપસી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ફરીથી ટી-20 ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યાને રાખવામો આવ્યો છે.

શૉની ટી-20 ટીમમાં વાપસી:

પૃથ્વી શૉ ભારતની T20 ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે સંજુ સેમસન ઈજાને કારણે બહાર છે તે કારણે જીતેશ શર્માને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને સ્થાન આપવામાં આવ્યું નથી, જ્યારે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા છે અને વાઇસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે.

NZ T20I માટે ભારતની ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર સિંહ ચહલ, અર્શદીપ સિંહ. ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો અને મુકેશ કુમાર

Exit mobile version