T-20

સૂર્યકુમારની ઈજાથી ભારતનું ટેન્શન વધ્યું, આ ટી20 શ્રેણી નહીં રમી શકેશે

pic- twitter

ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ એડીની ઈજાના કારણે લગભગ સાત સપ્તાહ સુધી ભારતીય ટીમની બહાર રહી શકે છે. જે T20 વર્લ્ડ કપની તૈયારીઓમાં ભારત માટે મોટો ઝટકો છે. સૂર્યકુમારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ટી20 શ્રેણીમાં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું.

દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે સૂર્યકુમાર યાદવને પગની ઘૂંટીમાં ગ્રેડ-2ની ઈજા થઈ હતી.

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ સૂર્યકુમાર યાદવની ભારતમાં હીલ સ્કેન કરવામાં આવી હતી. ઈજાની ગંભીરતાને જોતા સૂર્યકુમાર યાદવ અફઘાનિસ્તાન સામેની આગામી T20 શ્રેણીમાંથી બહાર થઈ શકે છે, જે T20 વર્લ્ડ કપ પહેલા ભારતની છેલ્લી T20 શ્રેણી હશે. સૂર્યકુમાર યાદવ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે.

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમની કમાન સંભાળી હતી. ODI વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન હાર્દિક પંડ્યાને એડીમાં ઈજા થઈ હતી, જેમાંથી તે સાજો થઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાની ઈજા અંગે કોઈ અપડેટ નથી, તેથી અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી શ્રેણીમાં તેના રમવા પર શંકા છે.

Exit mobile version