ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિશેલ જોન્સન વિરાટ કોહલીના સમર્થનમાં સામે આવ્યા છે અને કહ્યું છે કે ભારત માટે આ સારા સમાચાર છે કે તેમનો સ્ટાર બેટ્સમેન ફરીથી રન બનાવી રહ્યો છે. આ મહિને UAEમાં રમાયેલા એશિયા કપમાં વિરાટ કોહલીએ 1020 દિવસના સદીના દુકાળનો અંત લાવ્યો અને અફઘાનિસ્તાન સામેની મેચમાં કારકિર્દીની સર્વોચ્ચ 71મી સદી ફટકારી.
જોન્સનને ANIને કહ્યું, “ભારત માટે તે સારું છે જ્યારે તેમના શ્રેષ્ઠ ખેલાડીઓ રન બનાવી શકે અને ટીમને ખાતરી આપી શકે. કોહલી એવો ખેલાડી છે જેણે કેપ્ટનશીપ સંભાળીને ટીમનું ધ્યાન બદલી નાખ્યું. ટીમ ખુશ થશે કે તે રન બનાવી રહ્યો છે.”
સિરીઝ વિશે જણાવતા કહ્યું, “તેણે કઠિન પરિસ્થિતિઓમાં સિરીઝ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આનાથી તેમને વર્લ્ડ કપમાં જવાનો આત્મવિશ્વાસ મળશે. તેમની પાસે એક મજબૂત અને સેટલ ટીમ હોવી જોઈએ. આ એક શાનદાર સિરીઝ હશે.”
વર્લ્ડ કપ વિશે તેને વધુમાં કહ્યું, “જ્યારે વર્લ્ડ કપની વાત આવે છે, ત્યારે તમે ફક્ત તે ક્ષણનો આનંદ માણો છો. તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તે તમામ મહાન ટીમો છે. IPLના કારણે ભારતીયો મોટી સંખ્યામાં દર્શકોની સામે ઘણા દબાણ સાથે રમવા માટે ટેવાયેલા છે. મને લાગે છે કે તે પણ (એશિયા કપ પ્રદર્શન) તેની સાથે રહેશે.”