પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં આરામ આપવામાં આવ્યો છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી સીરિઝ છે, જેની છેલ્લી મેચ 4 ઓક્ટોબરે રમાવાની છે.
એટલે કે હવે ફેન્સ વિરાટ કોહલી, કેએલ રાહુલને 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે સીધા મેદાનમાં જોશે.
વિરાટ કોહલી અને કેએલ રાહુલના આરામ બાદ શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે ત્રીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં ફેરફાર જોવા મળી શકે છે. બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી T20 મેચ ઈન્દોરમાં રમાશે, આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમે ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને તેના ઘરેલુ T20 શ્રેણીમાં હરાવ્યું છે. હવે જ્યારે ભારત શ્રેણી જીતી ચૂક્યું છે ત્યારે વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો વિરાટ કોહલી ત્રીજી T20માં નહીં રમે તો સ્પષ્ટ છે કે તે હવે T20 વર્લ્ડ કપમાં જ જોવા મળશે. ભારતની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. જો કે તે પહેલા ટીમ ઈન્ડિયાએ વોર્મ-અપ મેચ પણ રમવાની છે, જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હશે.
એશિયા કપ દરમિયાન જ વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું હતું. તે પહેલા તે લગભગ 40 દિવસના બ્રેક પર હતો. ટીમ ઈન્ડિયા 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ માટે રવાના થવાની છે, તેથી તમામ સિનિયર ખેલાડીઓને થોડો આરામ આપવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલી ત્રીજી ટી20માં નહીં રમે, તેથી તે 6 ઓક્ટોબરે ટીમ સાથે રવાના થવા માટે તૈયાર થઈ જશે.
T20 વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલી ફોર્મમાં આવી ગયો છે, તે સતત રન બનાવી રહ્યો છે. પોતાની સદીઓના દુકાળને ખતમ કરી દીધો છે અને ટીમ ઈન્ડિયા માટે મહત્વના ખેલાડીની ભૂમિકા ભજવી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે બધાને આશા છે કે વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં પણ શાનદાર દેખાવ કરશે.