આયર્લેન્ડ સામે રમાનારી શ્રેણી (IND vs IRE)માં ત્રીજા નંબરે કયા ખેલાડીને રમાડવામાં આવશે તે અંગે ઘણી મૂંઝવણ છે. વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર બંને આયર્લેન્ડ સામે નથી રમી રહ્યા. આ પછી સવાલ એ ઊભો થાય છે કે ત્રીજા નંબર પર બેટ્સમેનની ઇનિંગને કોણ સંભાળશે.
આ મામલાને ઉકેલતા પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ કેપ્ટન હાર્દિક પંડ્યાને એક સલાહ આપી છે. તેમણે એક એવા ખેલાડીનું નામ આપ્યું છે જે ત્રીજા નંબર પર રમવા માટે પરફેક્ટ છે.
રવિ શાસ્ત્રીએ ESPN ક્રિકઇન્ફો સાથે વાત કરતા કહ્યું કે રાહુલ ત્રિપાઠીએ વખાણ કર્યા તેમણે કહ્યું કે ત્રિપાઠીમાં સ્કોર બોર્ડ ચલાવવાની ક્ષમતા છે અને તે મોટા શોટ મારવાની ક્ષમતા ધરાવે છે.
રવિ શાસ્ત્રીએ કહ્યું, “જ્યારે તે ક્રિઝ પર હોય છે, ત્યારે સ્કોરબોર્ડ ફરતું રહે છે. તે એજ બોલ રમવામાં ડરતો નથી. તે શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે સ્કોર કરે છે. જે નંબર 3 પર જબરદસ્ત છે કારણ કે તે તેને સુંદર રીતે સેટ કરે છે.”
રાહુલ ત્રિપાઠીએ IPL 2022માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતા, રાહુલ ત્રિપાઠીએ 14 મેચોમાં 158.23ના સ્ટ્રાઈક રેટ સાથે 37.54ની એવરેજથી 413 રન બનાવ્યા. આઈપીએલના આ ફોર્મને જોતા તેને આયર્લેન્ડ સામેની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમ આયર્લેન્ડ સામે:
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટમેન), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આર બિશ્નોઈ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.