પ્રથમ IPL અને પછી એજબેસ્ટન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં નિષ્ફળ ગયા બાદ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના પ્રદર્શન પર સવાલો ઉભા થયા છે.
વર્તમાન ભારતીય ટીમમાં તેની જગ્યાએ મિડલ ઓર્ડરમાં ઘણા એવા બેટ્સમેન છે જે તેની જગ્યા લઈ શકે છે. દીપક હુડ્ડા હોય, શ્રેયસ અય્યર હોય કે સૂર્યકુમાર યાદવ, ટી-20 ક્રિકેટમાં આ તમામ ખેલાડીઓ જો કોહલી ફોર્મમાં પરત નહીં ફરે તો તેનું સ્થાન લઈ શકે છે.
T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અહીંથી દરેક મેચ ખેલાડીઓ માટે ટીમમાં જગ્યા બનાવવા માટે ઓડિશન જેવી હશે. આવી સ્થિતિમાં શું IPL બાદ T20 મેચ ન રમનાર વિરાટ કોહલી ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અત્યારે તે ટીમનો ભાગ છે પરંતુ તેનું ફોર્મ ચર્ચાનો વિષય છે.
ESPNcricinfo સાથે વાત કરતા જાફરે કહ્યું કે “કોહલીના રમવા પર કોઈ શંકા નથી પરંતુ તેના ફોર્મ પર પણ વિચાર કરવામાં આવશે. IPLમાં તેનો સ્ટ્રાઈક રેટ સારો નહોતો. તેનું વર્તમાન ફોર્મ પણ સારું નથી. દીપક હુડા તમને બોલિંગનો વિકલ્પ આપી શકે છે. તેણે કહ્યું કે કોહલીને અમુક મેચોમાં ચોક્કસ તક મળશે અને ત્યાર બાદ પસંદગીકારો પોતાનો નિર્ણય લેશે.”
પરંતુ મને નથી લાગતું કે ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત છે કારણ કે ઘણા યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ગયા વર્લ્ડ કપમાં પણ તેની સ્ટ્રાઈક રેટ પ્રશ્નના ઘેરામાં હતી, તેથી આપણે ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે.
ટીમ ઈન્ડિયા દ્વારા છેલ્લી 7 T20 મેચોની વાત કરીએ તો, શ્રેયસ અય્યર, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે કોહલીની ગેરહાજરીમાં ટોપ ચાર તરીકે બેટિંગ કરી છે. હુડ્ડા શાનદાર ફોર્મમાં છે અને તેણે આયર્લેન્ડ સામેની મેચમાં સદી પણ ફટકારી હતી.