T-20

પોન્ટિંગે આપી ભારતીય ટીમને સલાહ: વર્લ્ડ કપ જીતવો હોઈ તો આ ખિલાડીને સામેલ કરો

દિનેશ કાર્તિકે ભારતીય T20 ટીમમાં ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. IPL 2022 માં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતીય પસંદગીકારો દ્વારા તેને પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની T20 શ્રેણી માટે ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી.

37 વર્ષીય દિનેશ કાર્તિકે IPLની 15મી સિઝનમાં RCB માટે પોતાની ફિનિશિંગ સ્કિલનું જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. કાર્તિકનું ફોર્મ સારું છે, તેને ભારતીય ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ સવાલ એ છે કે તે T20 વર્લ્ડ કપ 2022 માટે ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ પકડી શકશે કે નહીં.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે દિનેશ કાર્તિક વિશે વાત કરતા કહ્યું કે શું તે T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમનો ભાગ હશે કે નહીં. રિકીએ ICC રિવ્યૂમાં ઈસા ગુહા સાથે વાત કરતા કહ્યું કે, જો દિનેશ કાર્તિકને આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં સ્થાન નહીં મળે તો તેને આશ્ચર્ય થશે. તેણે કહ્યું કે હું તેને ટીમમાં જોવા ઈચ્છું છું અને તેને પાંચ કે છ નંબર પર બેટિંગ કરવા ઈચ્છું છું. આ સિઝનમાં તેણે આરસીબી માટે જે રીતે રમત પૂરી કરી અથવા ફિનિશરની ભૂમિકા ભજવી તે અદ્ભુત હતું. તેણે પોતાની રમતને એક અલગ સ્તર પર લઈ ગઈ છે.

રિકીએ કહ્યું કે જ્યારે તમે આઈપીએલને જુઓ છો, ત્યારે તમને તમારી ટીમમાં એક સારો ખેલાડી જોઈએ છે જે ટીમને બે કે ત્રણ, કદાચ ચાર મેચમાં દોરી શકે. જો તમે તે કરી શકો તો તે સારું પુનરાગમન હશે. આ સિઝનમાં કાર્તિકે આરસીબીના અન્ય ખેલાડીઓ કરતાં ઘણી મેચોમાં વધુ પ્રભાવ પાડ્યો છે. ટીમમાં કોહલી, મેક્સવેલ, ડુપ્લેસીસ જેવા ખેલાડીઓ હતા, પરંતુ કાર્તિક અલગ દેખાતો હતો. જો દિનેશ કાર્તિકને ટી20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં ન આવે તો મને નવાઈ લાગશે.

Exit mobile version