29 જૂન 2024, આ તારીખ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. તે જ દિવસે, રોહિત શર્માના નેતૃત્વમાં, ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો અને બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ભારતે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતું. ભારતની ઐતિહાસિક જીત બાદ તમામ ખેલાડીઓ ખૂબ જ ભાવુક દેખાયા હતા.
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા જીત બાદ બાર્બાડોસની કિંગસ્ટન ઓવલ પિચની માટી ખાતા જોવા મળ્યો હતો. રોહિત શર્માએ હવે ખુલાસો કર્યો છે કે તેણે આવું કેમ કર્યું.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડકપની જીત બાદની ક્ષણો વિશે વાત કરતા જોવા મળે છે. રોહિત શર્માએ પોતાની વાતચીત દરમિયાન જણાવ્યું કે તેણે બાર્બાડોસની પિચની માટી કેમ ખાધી છે. તેણે કહ્યું, ‘હું તે વસ્તુઓ સમજાવી શકતો નથી અને કંઈપણ સ્ક્રિપ્ટ નથી. તેજ ક્ષણે થયું. હું બાર્બાડોસ અને આ પિચને મારા બાકીના જીવન માટે યાદ રાખીશ. તેથી હું તેનો એક ટુકડો મારી પાસે રાખવા માંગતો હતો. તે ક્ષણ મારા માટે ખૂબ જ ખાસ હતી.
પીચની યાદને હંમેશા પોતાની સાથે રાખવા માટે રોહિત શર્માએ બાર્બાડોસની પીચની માટી ખાધી. વાસ્તવમાં, ભારતીય ટીમની વર્લ્ડ કપ જીત બાદ રોહિત શર્મા ખૂબ જ ભાવુક દેખાયો હતો. જીત બાદ તરત જ રોહિત મેદાન પર સૂઈને જશ્ન મનાવી રહ્યો હતો. આ દરમિયાન રોહિતની આંખોમાંથી પણ આંસુ આવી રહ્યા હતા.
View this post on Instagram