T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર યોજાવાનો છે. આઈસીસીએ તેના પર મહોર લગાવી છે. ICC ટૂર્નામેન્ટમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન કરી શકી નથી.
રોહિતે ભારતની છેલ્લી ત્રણ T20 શ્રેણીમાં ભાગ લીધો નથી. હવે T20 વર્લ્ડ કપ 2024 માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સે ભલે રોહિત શર્માની કપ્તાનીમાં પાંચ આઈપીએલ ટ્રોફી જીતી હોય, પરંતુ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સફળ થઈ શક્યો નથી. રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022ની ફાઇનલમાં પહોંચી શકી નથી. આ પછી T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયાની હારનો સિલસિલો અહીં જ અટક્યો ન હતો. ત્યારબાદ રોહિતની કપ્તાનીમાં ભારતને બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પણ ભારતનો પરાજય થયો હતો. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવ્યું હતું. આ પછી ઘણા પૂર્વ ક્રિકેટરોએ રોહિત શર્માની કેપ્ટનશિપની ટીકા કરી છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે ભારત માટે વિકલ્પોની કોઈ કમી નથી. પરંતુ આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ માટે હાર્દિક પંડ્યા કેપ્ટન રહેશે તે લગભગ નિશ્ચિત છે. હાર્દિકને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પણ કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતા છે. T20 ટીમમાં IPLમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક મળશે, જેમાં રિંકુ સિંહ અને જીતેશ શર્મા જેવા ખેલાડીઓને જગ્યા મળવાની ખાતરી છે. ટીમમાં ઋતુરાજ ગાયકવાડની વાપસીથી યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે.
IPLમાં 27 વિકેટ લેનાર મોહિત શર્મા પણ ટીમમાં વાપસી કરી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને T20 ફોર્મેટમાંથી બહાર કરવામાં આવ્યા છે અને મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે.