T-20

શાહિદ આફ્રિદી: આ કારણે મારી દીકરીએ ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ લાઈવ ટીવી પર પુષ્ટિ કરી છે કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ દરમિયાન તેની પુત્રીએ ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022નો સુપર-4 રાઉન્ડ 4 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને સામ ટીવી પર વાત કરતા ખુલાસો કર્યો હતો કે ગ્રાઉન્ડમાં પાકિસ્તાની ધ્વજનો અભાવ હતો, તેથી તેની પુત્રીએ મેચ દરમિયાન ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો.

શાહિદ આફ્રિદીએ કહ્યું, ‘મારી પત્નીએ કહ્યું કે સ્ટેડિયમમાં ભાગ્યે જ 10 ટકા પાકિસ્તાની પ્રશંસકો હતા જ્યારે ભારતીય પ્રશંસકોની સંખ્યા ઘણી વધારે હતી. પાકિસ્તાનનો ધ્વજ ઉપલબ્ધ ન હતો તેથી મારી નાની દીકરીએ ભારતનો ધ્વજ લહેરાવ્યો. મને વિડિયો મળ્યો છે પણ ખાતરી નથી કે તેને ઓનલાઈન શેર કરવી કે નહીં. તમને જણાવી દઈએ કે એશિયા કપ 2022ના ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાને સુપર-4 રાઉન્ડમાં જોરદાર વાપસી કરી અને ભારતને પાંચ વિકેટે હરાવ્યું.

Exit mobile version