ICC T20 વર્લ્ડ કપ 2022માં ગુરુવારે પાકિસ્તાનને ઝિમ્બાબ્વે સામે એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે પાકિસ્તાનના તમામ ભૂતપૂર્વ ક્રિકેટરો સિલેક્શન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજા પર નિશાન સાધી રહ્યા છે, જ્યારે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આ બંને સિવાય ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે.
ઝિમ્બાબ્વે સામેની પાકિસ્તાનની હારથી ICC T20 વર્લ્ડ કપ 2022 સેમી ફાઇનલમાં જવાનો રસ્તો તેમના માટે લગભગ બંધ થઈ ગયો છે. શોએબ અખ્તર આ નુકસાનથી ખૂબ જ દુઃખી છે.
અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘મેં પહેલેથી જ કહ્યું છે કે પાકિસ્તાન આ અઠવાડિયે વર્લ્ડ કપમાંથી પરત ફરશે અને ભારત આવતા અઠવાડિયે સેમિફાઇનલ રમીને પરત ફરશે. તે તીસ માર ખાન પણ નથી. ભારતે ગ્રુપ-2માં સતત બે મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારતની બાકીની મેચો દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ સામે છે.
પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામે સારી બોલિંગ કરી હતી. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં આઠ વિકેટે 130 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 129 રન જ બનાવી શકી હતી.
