T-20

સૌરવ ગાંગુલી: વરસાદના કારણે ભારત નહીં આ દેશમાં થશે એશિયા કપ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એશિયા કપને લઈને ચાલી રહેલી તમામ પ્રકારની વાતો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેણે પુષ્ટિ કરી છે કે શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ હવે યુએઈમાં યોજાશે. જોકે મીડિયામાં આ માહિતી શેર કરી. જેનું આયોજન આવતા મહિને 27 ઓગસ્ટથી થવાનું છે.

શ્રીલંકાની વર્તમાન સ્થિતિ બાદ ખુદ ક્રિકેટ શ્રીલંકાએ અહીં આ ટૂર્નામેન્ટનું આયોજન નહીં કરવાની વાત કરી હતી. બોર્ડ વતી રાજકીય અને આર્થિક પરિસ્થિતિને કારણે તેને UAEમાં જ શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ICC T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ફોર્મેટમાં ટૂર્નામેન્ટ રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

21 જુલાઈએ બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ગાંગુલીએ એશિયાના સ્થળ વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું, એશિયા કપનું આયોજન UAEમાં કરવામાં આવશે, કારણ કે આ સિઝનમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં વરસાદ નહીં પડે.

Exit mobile version