ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની T20 શ્રેણીની બીજી મેચ દિલ્હીમાં રમાઈ હતી, જેમાં ભારતે 86 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી. આ જીત સાથે યજમાન ટીમે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
મેચ પૂરી થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની યોજના અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે ઇનિંગ્સની ખરાબ શરૂઆત કરવી તેની યોજનાનો એક ભાગ હતો.
મેચ જીત્યા બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન, કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, “હું ઇચ્છતો હતો કે અમારી કેટલીક વિકેટો વહેલી પડી જાય અને મિડલ ઓર્ડરને બેટિંગ કરવાની તક મળે, જેથી અમે જોઈ શકીએ કે તેઓ કેવું પ્રદર્શન કરે છે. સંદેશ તે મોટેથી અને સ્પષ્ટ છે. કે તમે મેદાન પર તે જ કરો જે તમે નેટ અને ફ્રેન્ચાઇઝીમાં કરો છો.”
“હું એ પણ જોવા માંગતો હતો કે બોલરો શું કરી શકે છે, ખાસ કરીને એવી મેચોમાં જ્યાં અમે 170-175નો બચાવ કરીએ છીએ. તેથી હાર્દિક વિના બોલરોનો ઉપયોગ કર્યો. આજે નીતીશનો દિવસ હતો તેથી તેને તક આપવા માંગતો હતો.”
પ્રથમ બેટિંગ કરતા ભારતે બાંગ્લાદેશ સામે 222 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જેનો પીછો કરતા મુલાકાતી ટીમ 20 ઓવરમાં 135/9 રન જ બનાવી શકી હતી.