ભારતીય ટીમના આયર્લેન્ડ પ્રવાસનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આયર્લેન્ડ ક્રિકેટે પોતે આ વાતની પુષ્ટિ કરતા શેડ્યૂલ જાહેર કર્યું છે. ICC અનુસાર, ભારત ત્રણ મેચની T20 શ્રેણી રમવા માટે આયર્લેન્ડ જશે.
શ્રેણી 18 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે અન્ય બે મેચ 20 અને 23 ઓગસ્ટે રમાશે. ત્રણેય મેચો ડબલિનની બહાર માલાહાઇડમાં રમાશે.
ભારતના આયર્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ નીચે મુજબ છે-
18 ઓગસ્ટ: આયર્લેન્ડ વિરુદ્ધ ભારત – 1લી T20I (માલાહાઈડ; બપોરે 3pm)
20 ઓગસ્ટ: આયર્લેન્ડ વિરુદ્ધ ભારત – 2જી T20I (મલાહાઇડ; બપોરે 3pm)
23 ઓગસ્ટ: આયર્લેન્ડ વિરુદ્ધ ભારત – ત્રીજી T20I (મલાહાઇડ; બપોરે 3pm)
ક્રિકેટ આયર્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ વોરેન ડ્યુટ્રોમે એક નિવેદનમાં કહ્યું: “આયર્લેન્ડમાં 12 મહિનામાં બીજી વખત ભારતીય ટીમનું સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. 2022 માં બે મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી, તેથી આ વર્ષે ત્રણ મેચની શ્રેણી હોવાને કારણે વધુ ચાહકોને હંમેશા યાદગાર ક્ષણનો આનંદ માણવાની તક આપવી જોઈએ.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘ભારતીય ટીમના વ્યસ્ત શેડ્યૂલમાં આયર્લેન્ડનો સમાવેશ કરવાનું ચાલુ રાખવા માટે અને પ્રશંસક-મૈત્રીપૂર્ણ શેડ્યૂલ સુનિશ્ચિત કરવા માટે અમારી સાથે કામ કરવા માટે, સૌપ્રથમ તો BCCIનો અમારો હૃદયપૂર્વક આભાર – શુક્રવાર અને રવિવારના રોજ યોજાનારી મેચો સાથે વધુ અપેક્ષા રાખવામાં આવે છે.
એક મહિનાના વિરામ બાદ ભારત 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાનું છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ, ત્રણ વનડે અને 5 ટી-20 મેચોની શ્રેણી રમવાની છે. ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 13 ઓગસ્ટે સમાપ્ત થશે. આ પછી ટીમ ઈન્ડિયા સીધી આયર્લેન્ડ જવા રવાના થશે.
