એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાને પોતાની પ્રથમ મેચ એકબીજા સામે રમવાની છે. 28 ઓગસ્ટે એશિયા કપની બીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર આ બંને દેશોના ક્રિકેટ ચાહકો માટે જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
આ હાઈવોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પ્રખ્યાત ફાસ્ટ બોલર વસીમ અકરમે સૌથી ખતરનાક ભારતીય બેટ્સમેન વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અકરમે આ મામલે રોહિત શર્મા, વિરાટ કોહલી કે કેએલ રાહુલનું નામ લીધું નથી, પરંતુ સૂર્યકુમાર યાદવને સૌથી ખતરનાક ભારતીય બેટ્સમેન ગણાવ્યો છે.
સૂર્યકુમારે 23 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 37.33ની સરેરાશથી 672 રન બનાવ્યા છે. જેમાં પાંચ અર્ધસદી અને એક સદી સામેલ છે. સૂર્યકુમારે 175થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે અને તે તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયાનો મેચ વિનર ખેલાડી સાબિત થયો છે. સ્ટાર સ્પોર્ટ્સ પર અકરમે કહ્યું, ‘એ વાત સાચી છે કે રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી ભારતીય ટીમમાં છે. પરંતુ આજકાલ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં મારો પ્રિય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ છે.
અકરમે આગળ કહ્યું, ‘તે એક મહાન ખેલાડી છે. જ્યારે તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમતો ત્યારે મેં તેને જોયો હતો. અને તેણે નંબર 7 અથવા નંબર 8 પર બેટિંગ કરતી વખતે કેટલાક શાનદાર શોટ્સ રમતો હતો.
— Twitter India (@TwitterIndia) August 23, 2022