T20 વર્લ્ડ કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુરુવારે T20 વર્લ્ડ કપ 2024 સુપર આઠ મેચમાં ભારતે અફઘાનને 47 રને હરાવીને પ્રથમ મેચ જીતી લીધી.
ભારતીય ટીમ આ મેચમાં બ્લેક બેન્ડ પહેરીને રમી રહી છે. ચાહકોના મનમાં એક સવાલ હશે કે ટીમ ઈન્ડિયાએ આવું કેમ કર્યું? બ્લેક બેન્ડ પહેરીને રમવા પાછળનું કારણ એ છે કે એક ભૂતપૂર્વ ભારતીય ખેલાડીનું આજે નિધન થયું છે. ડેવિડ જોનસન હવે આ દુનિયામાં નથી.
ડેવિડે ભારતીય ટીમ માટે બે ટેસ્ટ મેચ રમી હતી. તે ડિપ્રેશનથી પીડાતો હતો અને તેણે આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો હતો. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય ટીમે કાળી પટ્ટી પહેરી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા સારી શરૂઆત કરવામાં સફળ રહી ન હતી.