ચેન્નાઈની સાથે ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઈજાગ્રસ્ત ઝડપી બોલર દીપક ચહર પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે IPLમાં વાપસી કરી શકશે નહીં, પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે ભારતીય ક્રિકેટ માટે કોઈ આંચકાથી ઓછા નથી.
વાસ્તવમાં, તેને પીઠની ઈજાને કારણે ચાર મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે તે આગામી T20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ નહીં હોય.
તેના પરત ફરવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ તાજેતરમાં પીઠની ઈજાના કારણે તેનો IPLમાં પાછા ફરવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. તેને ચેન્નાઈએ આ સિઝનમાં 14 કરોડની મોટી કિંમતે ખરીદ્યો હતો.
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, ચહરની ઈજા ઘણી ગંભીર દેખાઈ રહી છે અને તેને ચાર મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ પછી, હવે તેને આગામી T20 વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ થઈ રહ્યું છે. હાલમાં CSKની ટીમ IPLમાં તેની બોલિંગની ખોટ અનુભવી રહી છે. T20 ક્રિકેટમાં, ચહર માત્ર તેની બોલિંગ માટે જ નહીં પરંતુ બેટથી પણ તેણે ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં ચાહર જેવા ઓલરાઉન્ડરનું ટી-20 વર્લ્ડ કપમાં ટીમમાં સામેલ ન થવું એ ભારતીય ક્રિકેટ માટે મોટો ઝટકો છે.
તાજેતરમાં, ચેન્નઈ મેનેજમેન્ટ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પીઠની ઈજા વિશે કોઈ માહિતી નથી. તે ટીમમાં વાપસી માટે સખત મહેનત કરી રહ્યો હતો. પીઠની ઈજા પછી તેઓ ઉપલબ્ધ નથી. આ વખતે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં T20 ક્રિકેટ વર્લ્ડ કપ રમાશે.