T-20

ટી-20 મેચો માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, કોહલી પ્રથમ મેચથી થયો બહાર

ભારતે ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ બાદ T20 અને ODI શ્રેણી રમવાની છે. T20 શ્રેણી માટે બે અલગ-અલગ ટીમોની જાહેરાત કરવામાં આવી છે.

ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે અને તે T20 સિરીઝની ત્રણેય મેચ રમશે. વિરાટ કોહલી સહિત ટેસ્ટ મેચ રમી ચૂકેલા ખેલાડીઓને પ્રથમ T20 મેચમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

ગુરુવારે, પસંદગીકારો દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની T20 અને ODI ટીમની જાહેરાત કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને કારણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાંથી બહાર રહેલો રોહિત શર્મા T20 ટીમની કેપ્ટનશીપ કરશે. પ્રથમ મેચમાં આયર્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમના લગભગ તમામ ખેલાડીઓને રાખવામાં આવ્યા છે. વિરાટ કોહલી, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા બીજી અને ત્રીજી T20I માટે પરત ફર્યા છે.

ભારતે 7 જુલાઈએ પ્રથમ T20 મેચ રમવાની છે. આ પછી, બીજી અને ત્રીજી મેચ 9 અને ત્યારબાદ 10 જુલાઈએ રમાશે.

પ્રથમ T20 માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા, ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, મલિક

2જી અને 3જી T20I ટીમો:

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવેશ કુમાર, અવિનેશ ખાન. હર્ષલ પટેલ, ઉમરાન મલિક

 

Exit mobile version