TEST SERIES

1986 બાદ ઇંગ્લેન્ડની ધરતી પર પૂજારા આવું કામ કરનાર ભારતીય ઓપનર બન્યો

થોડા દિવસો પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર થયેલા ચેતેશ્વર પૂજારાએ શાનદાર વાપસી કરી છે. ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ પુજારાએ ઈંગ્લેન્ડની કાઉન્ટીમાં રન બનાવતા ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી અને એજબેસ્ટનમાં ઓપનર તરીકે અજાયબીઓ કરી હતી.

કેપ્ટન રોહિત શર્મા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં ચેતેશ્વર પૂજારાને ભારત માટે ઇનિંગની શરૂઆત કરવાની તક મળી હતી. પ્રથમ દાવમાં કંઈ ખાસ ન કરી શકનાર આ બેટ્સમેને બીજી ઈનિંગમાં જોરદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. આ સાથે, તે ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર પછી આ મેદાન પર પચાસ ફટકારનાર બેટ્સમેન બન્યો.

ગાવસ્કરે છેલ્લી વખત ભારત માટે 1986માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર અડધી સદી ફટકારી હતી. ત્યારથી, કોઈપણ ભારતીય ઓપનર આવું કરી શક્યો ન હતો. 2022માં, પુજારાએ આખરે 139 બોલમાં 5 ચોગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરીને 36 વર્ષની લાંબી રાહનો અંત આણ્યો હતો. આ મેદાન પર ગૌતમ ગંભીરે 38 રન બનાવ્યા હતા, જે ગાવસ્કર પછી ભારતીય ઓપનરની સૌથી મોટી ઇનિંગ હતી.

Exit mobile version