ન્યુઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન હજુ સુધી પીઠના સ્નાયુઓના તાણમાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી, જેના કારણે તે ભારત સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં રમી શકશે નહીં.
ન્યુઝીલેન્ડ બેંગલુરુમાં પ્રથમ મેચ આઠ વિકેટે જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી મેચ ગુરુવારથી અહીં રમાશે. તાજેતરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન વિલિયમસન ઈજાગ્રસ્ત થયો હતો. તે હજુ સુધી ભારતમાં ટીમ સાથે જોડાયો નથી. ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે જણાવ્યું હતું કે વિલિયમસન સારી રીતે પ્રગતિ કરી રહ્યો છે પરંતુ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી.
“અમે કેનની પ્રગતિ પર નજર રાખી રહ્યા છીએ અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે પરંતુ હજુ સુધી તે સંપૂર્ણ રીતે ફિટ નથી,” સ્ટેડે ન્યૂઝીલેન્ડ ક્રિકેટના નિવેદનમાં જણાવ્યું હતું. અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં તેનામાં વધુ સુધારો જોવા મળશે અને તે ત્રીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે. અને અમે તેને સંપૂર્ણ રીતે ફિટ થવા માટે શક્ય તેટલો સમય આપીશું, પરંતુ અલબત્ત અમે આ મામલે સાવધાની રાખવાનું ચાલુ રાખીશું.”