શ્રીલંકા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે 16મી જુલાઈથી 2 ટેસ્ટ મેચોની સિરીઝ રમાવાની છે. આ શ્રેણી પહેલા શ્રીલંકન ટીમ માટે ખરાબ સમાચાર છે. ટીમના કેપ્ટન દિમુથ કરુણારત્ને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.
ઈજાના કારણે તેની રમવાની ઉપલબ્ધતા શંકાસ્પદ છે. જો દિમુથ પ્લેઈંગ 11માં સ્થાન નહીં મેળવે તો તેની ગેરહાજરીમાં વાઈસ-કેપ્ટન ધનંજય ડી સિલ્વા ટીમનું નેતૃત્વ કરશે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, શ્રીલંકન ટેસ્ટ કેપ્ટન કરુણારત્ને ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. અમે તેમને ઉતાવળ કરવા માંગતા નથી. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી સ્થિતિ સ્પષ્ટ થશે. કરુણારત્નેની અનુપલબ્ધતામાં, 31 વર્ષીય ઓલરાઉન્ડર ડી સિલ્વા નેતૃત્વ કરશે. તે પહેલાથી જ વાઈસ કેપ્ટન છે અને જવાબદારી નિભાવવામાં સક્ષમ છે.
દિમુથ કરુણારત્ને શ્રીલંકાની મહત્વની કડી છે. તે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમ્યો છે. ટીમનું નેતૃત્વ કરવાની સાથે તે ક્રિઝ પર ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. જો કરુણારત્ને ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે તો ટીમની લય બગડી શકે છે. આ બેટ્સમેને છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 86 ટેસ્ટમાં 41.29ની એવરેજથી 6,524 રન બનાવ્યા છે.